પશુ વ્યવસાય ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મહત્વપૂર્ણ વ્યવસાયોમાંનું એક છે. સરકાર દ્વારા પશુપાલન લોન અરજી માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જેથી પશુપાલકોને આર્થિક મદદ મળે અને તેઓ પોતાના ડેરી ફાર્મની સ્થાપના કરી શકે. આ લેખમાં આપણે પશુપાલન માટે ઉપલબ્ધ લોન અને સહાય યોજનાઓ વિશે વિગતવાર જાણકારી મેળવીશું.

પશુપાલન લોન અરજી મુદ્દા
યોજના | લાભાર્થી | સહાય / લોન વિગતો | અરજી પ્રક્રિયા |
---|---|---|---|
૫૦ દુધાળા પશુઓ માટે લોન | તમામ પશુપાલકો | ૭.૫% વ્યાજ સહાય (૫ વર્ષ), ₹૫ લાખ સુધી સહાય | બેંક લોન પછી iKhedut Portal પર અરજી |
૧૨ દુધાળા પશુઓ માટે લોન | ખેડૂતો, અનુ. જાતિ / જનજાતિ | ૭.૫% – ૮.૫% વ્યાજ સહાય, ₹૨.૨૫ લાખ સુધી સહાય | બેંક લોન બાદ iKhedut Portal પર અરજી |
૧ થી ૨૦ પશુઓ માટે લોન | નાના પશુપાલકો, માલધારી | ૧૨% સુધી વ્યાજ સહાય | બેંક લોન પછી iKhedut Portal પર અરજી |
(1) ૫૦ દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના માટે લોન
હેતુ:
- ગીર અને કાંકરેજ ગાયોના સંવર્ધન
- ગ્રામ્ય સ્તરે સ્વરોજગારીને પ્રોત્સાહન
- સ્વતંત્ર ડેરી ફાર્મ સ્થાપન માટે સહાય
લાભ અને સહાયનુ ધોરણ:
- ૭.૫% વ્યાજ સહાય ૫ વર્ષ સુધી
- ડેરી ફાર્મ બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫.૦૦ લાખ
- ઇલેક્ટ્રીક ચાફકટર, ફોગર યુનિટ અને મિલ્કીંગ મશીન માટે ૭૫% સહાય
- પશુ વિમો માટે ૭૫% સુધી સહાય
અરજી કરવાની પદ્ધતિ:
- બેંકમાંથી ધિરાણ મંજૂરી બાદ iKhedut Portal પર ઓનલાઇન અરજી કરવી
- જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ રજૂ કરવું
(2) ૧૨ દુધાળા પશુઓના ડેરી ફાર્મ માટે લોન
હેતુ:
- ખેડૂતોની આવક બમણી કરવા માટે સહાય
- પશુ વ્યવસાય ઉદ્યોગરૂપે વિકસાવવા માટે પ્રોત્સાહન
લાભ અને સહાયનુ ધોરણ:
- સામાન્ય લાભાર્થીઓ માટે ૭.૫% વ્યાજ સહાય
- મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે ૮.૫% વ્યાજ સહાય
- કેટલશેડના બાંધકામ પર ૫૦% (મહત્તમ રૂ. ૧.૫૦ લાખ)
- ગીર/કાંકરેજ માટે ૭૫% (મહત્તમ રૂ. ૨.૨૫ લાખ)
- પશુઓના વિમાના પ્રીમિયમ પર ૭૫% સુધી સહાય
- ઇલેક્ટ્રીક ચાફકટર, ફોગર યુનિટ અને મિલ્કીંગ મશીન માટે ૭૫% સહાય
અરજી કરવાની પદ્ધતિ:
- બેંક લોન મંજૂરી બાદ i Khedut Portal પર અરજી કરવી
- અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ
(3) ૧ થી ૨૦ દેશી દૂધાળા પશુ વ્યવસાય એકમ માટે લોન
હેતુ:
- નાના પશુપાલકોને સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા યોજનાનું અમલ
- પશુપાલન વ્યવસાયને આધુનિક બનાવવા માટે લોન સહાય
લાભ અને સહાયનુ ધોરણ:
- ૧ થી ૨૦ દૂધાળા પશુઓના એકમ માટે ૧ર% સુધી વ્યાજ સહાય
- ગીર/કાંકરેજ માટે વધારાની વ્યાજ સહાય
અરજી કરવાની પદ્ધતિ:
- બેંકમાંથી લોન મંજૂર થયા બાદ i Khedut Portal પર અરજી
- સંબંધીત દસ્તાવેજો સાથે અરજી કરી પશુદવાખાના પાસેથી મંજૂરી મેળવવી
અરજી માટે જરૂરી દસ્તાવેજો:
- રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/લાઇટ બીલ/બેંક પાસબુક)
- ઓળખદસ્તાવેજ (આધારકાર્ડ/મતદાર ઓળખકાર્ડ)
- જાતિ પ્રમાણપત્ર (ફક્ત અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે)
- બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
- લોન મંજૂરી પત્ર
- જમીનનો પુરાવો (૭/૧૨, ૮અ અથવા ભાડા કરાર)
અરજી કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો:
- અરજી કરતા પહેલા લોન મંજૂરી પત્ર લેવું જરૂરી છે.
- તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરવા.
- iKhedut Portal પર અરજી કરતી વખતે યોગ્ય વિગતો ભરો.
- જો બેંક લોન મંજૂર ના કરે, તો અન્ય સરકારના વિકલ્પો વિશે માહિતી મેળવો.
Important Link
પશુપાલન વિભાગનો સંપર્ક: સ્થાનિક પશુદવાખાનાના અધિકારીઓ દ્વારા સહાય મેળવવી.
સરકાર પશુપાલન માટે વિવિધ લોન સહાય યોજનાઓ દ્વારા પશુપાલકોને સહાય પૂરી પાડી રહી છે. પશુપાલન લોન અરજી કરવા માટે iKhedut Portal પર ઓનલાઇન અરજી કરી શકાય. જો તમે પણ પશુ વ્યવસાય સાથે રોજગારી શરૂ કરવા ઈચ્છતા હો, તો સરકારની આ સહાય યોજનાનો લાભ લઈ શકો.
Pingback: આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું 2025 | How To Make Ayushman Card In Gujarat - મેરા ખેડૂત
Pingback: ઠાકોર કોળી સમાજ લોન 2025 વિદ્યાર્થીઓ માટે - મેરા ખેડૂત